ભજનરસ/ચંદની રાત કેસરિયા તારા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 60: Line 60:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''ગંગા ને જમુના વચે જી રે,'''  
'''ગંગા ને જમુના વચે જી રે,'''  
{{right|ચોકી બેસે આદ,}}  
{{right|'''ચોકી બેસે આદ,'''}}  
માણસ જોઈને માગીએ રે,  
'''માણસ જોઈને માગીએ રે,'''
{{right|જેવો માલ તેવી રે જકાત.}}
{{right|'''જેવો માલ તેવી રે જકાત.'''}}
</poem>}}
{{Poem2Open}}
આદિકાળથી આવી બડકમદાર ચોકી બેઠી છે. અને નરસિંહ કેવો માલ લઈને ત્યાંથી નીકળે છે?
જેણે જીવનની કોમળતાને, મધુરતાને, સુગંધને મન ભરીને માણી હોય એવા મરમી પાસેથી જ આવી પંક્તિઓ મળે. કલ્પના કરું છું કે મહેતાજી ગિરિ તળેટી ને કુંડ દામોદરમાં નહાવા જતા હશે ત્યારે કોઈ વાર આસપાસની અમરાઈ મહોરી ઊઠી હશે. આંબાની ઘટાઓમાંથી મંજરી ઝરી ઝરી જતી હશે, મરવા કૂંણું મોં બહાર કાઢીને આ સૃષ્ટિના રહસ્યને કૌતુકથી નીરખી રહ્યા હશે. અને મહેતાજીનું ભાવિભોર મન ગાઈ ઊઠ્યું હશે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''જેવા વાડીના કુંમલા મરવા રે,'''
{{right|'''તેવા પોઠી હમારે ભરવા રે.'''}}
</poem>}}
{{Poem2Open}}
આ સૃષ્ટિમાં એક લેવા જેવી ચીજ હોય તો તે આવા નવીન જીવનની તાજગી છે. વાડીના મરવાને કરમાતાં શી વાર? જરાક ઊની આંચ લાગી, જરાક પવન ફૂંકાયો કે એ ખરી પડે, ધૂળમાં મળી જાય, અને એને કાંઈ ધૂળમાં મળવા દેવાય? આ ક્ષણિક જીવન પણ કોમળ મરવા જેવું રાખી શકીએ તો? તો જ વસંતના ઉત્સવમાં પ્રવેશ મળે. ‘ફાગુન કે દિન ચાર' — આવા વસંતની મહેકથી સભર ચાર દિવસને, વસંતના ઉત્સવને, જીવનના પહેલા સુકુમાર તત્ત્વને જ ત્યારે પોઠ ભરીને સાથે લઈ જવાની નરસિંહ વાત કરતા લાગે છે. પછી તો નિત દરસન, નિત ઓચ્છવ કીરતન.’
અને જ્યાં આવો ઉત્સવ મચે ત્યાં નંદકુમાર કાંઈ આઘા રહે? ભલે મલિયા' એમ કહીએ ત્યાં એને સામેથી ભેટી પડતાં શી વાર? નરસિંહે કેસરિયા તારા કહ્યું ત્યારથી જ આવા કોઈ મુકામ પર વણઝાર આવી પહોંચશે એવી આશંકા હતી. એક દુહામાં આ આખાયે પદનું નામું વાંચી શકાય છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''લહાવો લેજો લોક, હૈયે માંડી હાટડી,'''
'''ફેરો નથી જ ફોક, વકરો વહાલાને મળ્યે,'''
</poem>}}
</poem>}}