|
|
| Line 1: |
Line 1: |
| {{SetTitle}} | | {{SetTitle}} |
| {{Heading|કફન માપસરનું ન પામ્યા દુલારા! વિશે|મનસુખલાલ ઝવેરી}} | | {{Heading|ઉપવને આગમન વિશે|મનસુખલાલ ઝવેરી}} |
| {{center|'''જમિયત પંડ્યા—જિગર'''<br>'''કફન માપસરનું ન પામ્યા દુલારા!'''}} | | {{center|'''ગની દહીંવાલા'''<br>'''ઉપવને આગમન'''}} |
|
| |
|
| {{Block center|'''<poem>અમે જિન્દગીનાં ઘણાં અર્ધસત્યો,</poem>'''}} | | {{Block center|'''<poem>તમારાં અહીં આજ પગલાં થવાનાં,</poem>'''}} |
| {{Poem2Open}} | | {{Poem2Open}} |
| જીવન કેવું વિચિત્ર છે? આપણા પોતાના કે બીજા કેટલાકના અનુભવોને સાચા માનીને, જીવન એટલે આ, કે જીવન એટલે તે એવો સિદ્ધાંત નક્કી કરવા જઈએ કે તરત આપણા પોતાના ને બીજા પણ અનેકના એવા અનુભવો આપણી સામે ખડા થઈ જતા હોય છે, જે પેલા સિદ્ધાન્તોને ખોટા ઠેરવતા હોય. ‘સત્યમેવ જયતે’ ને યાદ કરીએ ત્યાં તરત જ ખડી થઈ જતી હોય છે લંગાર, સત્યાસત્યની પરવા કર્યા વિના, પડે તેવા દીધે રાખીને, ઊંચે આસને ચડીને ચીટકી બેસનારાઓની. સત્ય, ન્યાય, નીતિ, પ્રામાણિકતા, સિદ્ધાન્તનિષ્ઠાઃ આ બધાંનું ગૌરવ ગમે તેટલું ગાવામાં આવે, પણ માત્ર વ્યવહારના જગતમાં ખરેખર શી કીમત છે એમની? ત્યાં તો ફાવ્યા જ વખણાતા હોય છે ને જે કોઈએ આર્થિક, રાજકીય, સામાજિક, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય તેનો જ વાગતો હોય છે ડંકો! એ સફળતા તેણે કયે માર્ગે, કઈ રીતે પ્રાપ્ત કરી તે જોવા કોણ બેસે છે દુનિયામાં? સફળતા જ, ખરું કહીએ તો, છે દુનિયાનું ઉપાસ્યદૈવત. ને એને માટેનાં સાધનોની શુદ્ધિ કે અશુદ્ધિનો વિચાર કરનાર ગણાતા હોય છે વેદિયા ને ફેંકાઈ જતા હોય છે એક તરફ.
| | વસંત ખીલી ઊઠી છે. પ્રભાત હજી તો ફૂટી રહ્યું છે, ને પૂર્વાકાશમાં ઉષાના રંગ હજી રસળી રહ્યા છે. જગતની ચેતના હજી જાગ્રત નથી થઈ, ને ભમરાઓનો ગણગણાટ હજી શરૂ નથી થયો. ઉદ્યાનનાં વૃક્ષો ને વેલીઓ પર્ણો ને પુષ્પોના ભારથી ઝૂકી રહ્યાં છે. ને તેના પર ઝાકળનાં બિન્દુઓ બાઝી રહ્યાં છે. પવનની શીતલ અને મંદ લહરીઓ વાઈ રહી છે, ને પુષ્પોના પરિમલને ચોતરફ પ્રસારી રહી છે. |
|
| |
|
| અને આ સફળતા પણ, ઊંડા ઊતરીને જોઈએ તો, માણસને મળતી હોય છે તેની શક્તિથી કે કાર્યકુશળતાથી, એવું પણ નથી. ઘણા માણસો તો કેવળ સંજોગોને બળે જ ફાવી જતા હોય છે, વંટોળિયામાં ચીંથરાં કે કાગળના ડૂચા ઊડતાં ઊડતાં ઝાડની ઊંચામાં ઊંચી ડાળીએ ચડી જાય તેમ. સંજોગ બદલાયા કે તરત તેનાં ‘વહી ધનુષ વહી બાણ’ થઈ જતાં હોય છે નકામાં. આ રીતે જોઈએ તો, મનુષ્ય છે માત્ર સંજોગોનું પૂતળું. એની સિદ્ધાન્તનિષ્ઠા કે સિદ્ધાન્તહીનતા, આવડત કે બિન-આવડત, વ્યવહારકુશળતા કે વ્યવહારનું અજ્ઞાન, કશું પણ તાત્ત્વિક મહત્ત્વનું હોય છે ભાગ્યે જ. કવિને જગતના આ વ્યવહારનું દર્શન થયું છે. એટલે એ કહે છે કે માનવજાતિના અનુભવને વ્યક્ત કરતાં જીવનસૂત્રો, વાસ્તવમાં હોય છે અર્ધસત્ય, પણ ભોળે ભાવે અમે તેમને માની લીધાં હતાં પૂર્ણ ને ત્રિકાલાબાધિત સત્ય, અને તે સૂત્રોને આધારે અમે કલ્પના કરી હતી જીવનની ને મથ્યા હતા તે પ્રમાણે જીવવાનો. પણ વ્યવહારમાં સાવ જુદો જ અનુભવ થાય છે. એ સૂત્રોએ બતાવેલી વ્યવહારજીવનની દિશા ખોટી ઠરે છે, અને સાચી દિશા કઈ તે સૂઝતું નથી.
| | કાવ્યના નાયકે આખી રાત પોતાની પ્રિયતમાના વિચારોમાં, કદાચ, વિતાવી હશે. અને એ તેના ચિત્તનો એવો તો કબજો લઈને બેસી ગઈ છે કે પ્રભાતને પહોર સોળે કળાએ ખીલી નીકળેલું આ ઉદ્યાનસૌન્દર્ય જોઈને તેનું હૃદય ઝંખી રહે છે પ્રિયતમાને. ‘પ્રિયતમા અહીં હોય તો?’ એને થાય છે. ને એ તલસાટ એવો તો તીવ્ર બને છે કે એને ઘડીભર થઈ જાય છેઃ ‘પ્રિયતમા અહીં જ છે. આ રહી એ!’ અને એ અનુભવવા લાગે છે પોતાની પ્રિયતમાના સાન્નિધ્ય અને સહચારની ધન્યતા. |
|
| |
|
| દિશાશૂન્ય બનીને હું ભટકી રહ્યો છું કોઈ મહાન રણમાં, તરસે ટળવળતો. કંઠે કાચકી બાઝી છે. જીવન બની ગયું છે કોઈ અફાટ રણ જેવું, જેમાં નથી ક્યાંય સાચી છાંયડી, ને નથી ક્યાંય તરસ છિપાવે એવા સાચેસાચા જળની વીરડી. હાશ કહીને બેસવાનું ને હૈયું ઠારવાનું ઠામ દેખાતું નથી ક્યાંયે. ધર્મ, તત્ત્વ, સાધુસંતોની વાણી, ક્યાંયથી સાચું સમાધાન કે સાન્ત્વન સાંપડતું નથી. દુનિયામાં સાચા અને મોટા ગણાતા માણસો અનુભવે નીકળે છે સાવ ખોટા, ને આપણા પોતાના ગણ્યા હોય તે માણસો પણ ખરે ટાણે કામ લાગતા નથી ઘસીને ગૂમડે ચોપડવાનેય.
| | ઉદ્યાન સુન્દર છે, તો પ્રિયતમા છે સકળ સૃષ્ટિના સૌન્દર્યના સાર જેવી. એ આવી રહી છે એ ખબર ઉદ્યાનમાં સૌને થઈ ગઈ છે. એટલે સમગ્ર વાતાવરણમાં ચમત્કારક પલટો આવી ગયો છે. એની સામે ઊંચી ડોકે ઊભાં રહેવાની મગદુર નથી ડાળીઓની, કે આંખ ઊંચી કરીને, મીટ માંડવાની પુષ્પોની. ને વૃક્ષોની આ કળીઓ? આમ તો છે એક બાળક જેવી; ને બાળકોને શો હોય ક્ષોભ કે સંકોચ? પણ મોટાંઓને—ડાળીઓને અને ફૂલોને શરમાતાં જોઈને એ પણ ડોળ કરે છે શરમાઈ જવાનો ને સંતાઈ જાય છે પાંદડીઓના પડદાની ઓથે. પણ બાલસહજ કુતૂહલ પણ ઓછું નથી એમનું. એટલે છૂપાઈ છૂપાઈને એ જોયાં કરે છે બધુંયે. |
|
| |
|
| સગી આંખે અમે જોયા છે મૂખે લીંબુ લટકાવીને ફરનારા માંધાતાને. શો હતો એમનો વટ? ને શો હતો એમનો દમામ? એમનો સિતારો ચમકતો હતો ત્યાં સુધી એમણે અવળે હાથે નાખેલા પાસા પણ પડતા હતા સવળા, ને દુનિયા ઉપાડતી’તી તેમનો પડતો બોલ. પણ ભાગ્યનું ચક્ર ફર્યું, ને શાહ આલમનાં એ સગાંઓનો વારો આવ્યો શેરીએ શેરીએ ભીખ માગવાનો. એમની આસપાસ બણબણતી માખીઓ ઊડીને થઈ ગઈ અલોપ ને કોઈ કરતાં કોઈ ફરક્યું નહિ એમને પાવળું પાણીયે પાવા.
| | ને આ ઝાકળનાં બિંદુઓ? અહો! એ તો છે મોતીની ચાદર, પ્રિયતમા માટે ઉષાએ બિછાવેલી. એ ચાદર તૈયાર કરવા માટે ઉષાએ આખી રાત પરિશ્રમ કર્યો છે ને પોતાના લોહીનું પાણી કરી નાખ્યું છે! ફાટફાટ થતી જુવાનીવાળી નાયકની પ્રિયતમાનું સ્વાગત કરવા માટે પૂરેપૂરું સજ્જ થઈ ગયું છે ફાટફાટ થતી જુવાનીવાળું ઉદ્યાન! |
|
| |
|
| અમે જોયા અનેક મોટા માણસોને. કોઈ પાસે હતી અઢળક લક્ષ્મી; કોઈ હતા પ્રકાંડ પંડિત, તો કોઈ હતા પ્રતિભાશાળી સર્જક, કોઈ હતા સેવાના ભેખધારી, તો કોઈ હતા ત્યાગ અને તપશ્ચર્યાની મૂર્તિ! એમનાથી આકર્ષાઈને અમે તેમની નજીક ગયા. જીવન સફળ થઈ જાય તેવું કશુંક તેમની પાસેથી મળશે એ આશાએ અમે તેમના જીવનમાં ઊંડા ઊતર્યાં. પણ ઊતરતાં વેંત આંખ ઊઘડી ગઈ અમારી. એ મહાપુરુષો મહાસાગર જેવા હશે એની ના નહિ, એમના પેટાળમાં મહામૂલાં રત્નો છૂપાયાં હસે તેની પણ ના નહિ. પણ અમને તો જોવા મળી તેમનાં હૈયામાં માત્ર રેતી જ. નજીક જઈને જોતાં, એ મહાપુરુષો પણ અમને દેખાયા બીજાઓ જેવા જ ક્ષુદ્ર ને પામર, સ્વાર્થી ને ભીરુ, દંભી ને નિષ્ઠુર. છોળો છલકાતી દેખાતી હતી માત્ર દૂર દૂરના કિનારા પર. દૂરથી ડુંગરા દેખાતા હતા રળિયામણા. ઉપર ઉપરના સામાન્ય વ્યવહારમાં જ લાગણી, ઉદારતા, સહાયવૃત્તિ વગેરે જોવા મળતાં હતાં એમનામાં, સહેજ નજીક આવ્યા ને ઊંડા ઊતરીને જોયું તો દેખાયું કંઈક જુદું જ સ્વરૂપ!
| | પ્રિયતમાએ તો માત્ર આવવાનું જ છે; ને આવીને પોતાનો વિજયધ્વજ ફરકાવવાનો છે. એની આંખના મદભર્યા સૌન્દર્યનો મુકાબલો કરી શકે તેવું છે શું આખા ઉદ્યાનમાં? ભમરાઓ હતા ખરા, કાળા ને કામણગારા; પણ શો હિસાબ એમનો પ્રિયતમાની આંખની કાળી ને કામણગારી કીકી પાસે? પ્રિયતમા આવે અને તેની આંખની કીકી પાસે પોતાને લાજવું પડે તેના કરતાં મૂંગે મોઢે તેના માર્ગમાંથી ખસી જવું એ જ વધારે સારું નહિ? આમ, પ્રિયતમા પધારી રહી છે તે જાણતાં વેંત ભમરાઓ કરી ગયા છે પલાયન. ને ખીલેલાં ને મઘમઘતાં ગુલાબોની સુકુમાર પાંખડીઓ થઈ ગઈ છે ભય અને ચિન્તાથી મુક્ત, એમની પાસેથી ઘડીયે આઘા ન ખસનાર ને દંશ દઈને, એમને પજવનાર ભમરાઓ ચાલ્યા જવાથી. |
|
| |
|
| અમે હરાજ થઈ રહ્યા છીએ—અને તે પણ જાહેરમાં—તે વખતે જાણે કોઈ ત્રાહિત માણસો હોય તેવી રીતે ઠંડે કલેજે ને પેટનું પાણી પણ હાલવા દીધા વિના અમને જોઈ રહ્યા છે એ જ લોકો, જેમને અમે અમારા નિકટમાં નિકટનાં સ્વજનો માનતા હતા. જાહેરમાં અમારી બેહાલી અને બદનામી થતી હોય ત્યારે કોઈનું રુંવાડું યે ફરકતું નથી, ને જેમને અમે અમારાં પોતાનાં ગણ્યાં હોય તેઓ પણ જોયાં કરે છે તમાશો, તીરે ઊભાં ઊભાં.
| | એક તરફથી, પ્રિયતમાના સૌન્દર્યના પ્રતિસ્પર્ધીઓ થઈ ગયા છે પરાસ્તઃ કાં તો એમનાં શિર ઝૂકી ગયાં છે શરમથી ને કાં તો એ છોડી ગયા છે મેદાન. તો બીજી તરફથી, આખા વાતાવરણમાં વ્યાપી ગયો છે પ્રગલ્ભ પ્રેમનો કોઈ દુર્તિવાર ઉન્માદ. રાજમરજાદના પુરાણા ખ્યાલ ઊડી ગયા છે હવામાં, ને પેલો નટખટ પવન પોતાના જિગરજાન દોસ્ત પરિમલની ડોકમાં હાથ નાખીને ફરતાં ફરતાં છેડતી કરી રહ્યો છે શરમના શેરડાથી લાલલાલ બની ગયેલા વદનવાળી પેલી કૂંપળોની! |
|
| |
|
| કાળ કોઈનો કદી થયો નથી, કોઈનો કદી થવાનો નથી. એની ગતિને લૌકિક કાર્યકારણના નિયમો લાગુ પડતી નથી, ને કઈ ઘડીએ તે કેવો વળાંક લેશે તે કોઈ કળી શકતું નથી. આ પૃથ્વી પર એવા કેટલાયે આવી ગયા છે નરોત્તમો, જેમણે, કૃષ્ણે કાળિનાગને નાથ્યો હતો તે પ્રમાણે કાળને નાથ્યો હોય, પોતાને અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોય એમ દેખાતું હોય; અને છતાં, જે સંજોગોના દોરડાથી પોતે કાળને નાથ્યો હતો તે જ સંજોગોના દોરડાથી અન્તે નથાઈ ગયા હોય પોતે જ, સંજોગો પલટાઈ જતાં, બની ગયા હોય બકરી જેવા રાંક ને ઘેંશ જેવા નરમ. મનુષ્ય સંજોગોનો સર્જક કે સ્વામી નથી, સંજોગોનું રમકડું છે.
| | આ ઉપવન, પર્ણો અને પુષ્પોથી ઝૂકી પડતાં આ તેનાં તરુવરો ને લતાઓ, વાયુના સ્પર્શથી હાલતાં પર્ણોના પુંજની વચ્ચે ઘડીક કળાતી, તો ઘડીક અદૃશ્ય થઈ જતી કળીઓ; ચોતરફ વરસતી ઝાકળ ને તેને લીધે ઝાંખી પડતી રતાશવાળી દેખાતી ઉષા; ખીલેલાં ગુલાબો અને પવનમાં ડોલતી રતુંબડી કૂંપળોઃ આ આખું ચિત્ર કેવું સર્વાંગસંપૂર્ણ લાગે છે, માત્ર પ્રિયતમાની ઉપસ્થિતિથી! પ્રિયતમાની હાજરી કેવું પરિપૂર્ણ બનાવી રહી છે તેના સૌન્દર્યને! આ બધું છે તેમનું તેમ હોત, પણ માત્ર પ્રિયતમા જ ન હોત તો કેટલું રહી જાત એ અપૂર્ણ, વિધાતાએ જાણે એમાં કંઈક કસર રાખી દીધી હોય તેવું? |
| | |
| | — ‘પ્રિયતમા ન હોત તો?’—કદાચ, એ વિચાર આવતાંવેંત નાયકને ભાન થાય છેઃ પ્રિયતમા જ નથી જ. ક્યાંથી હોય એ અહીં? હું જે જોઉં છું તે તો છે કલ્પના જ કેવળ, એવાં ભાગ્ય ક્યાંથી હોય મારાં કે મને મળે મારી પ્રિયતમાનો ચિરવાંછિત સહચાર? |
| | |
| | અને એને થાય છેઃ આ કલ્પનાનું જગત પણ કેવું છે? મારા જેવો મુફલિસ ને કમનસીબ માણસ, ભલે કલ્પનામાં પણ પ્રિયતમાનું આવું સાન્નિધ્ય અનુભવી શકે? |
| | |
| | મારા નસીબમાં, ભલે કલ્પનાનું તો કલ્પનાનું પણ આટલુંયે સુખ રહ્યું છે હજી, એ જોઈ મને મારી પોતાની ઈર્ષ્યા આવે છે. પણ તરત પાછું થાય છેઃ આ સુખ મેં ક્યાં પહેલી જ વાર ભોગવ્યું છે? ઘણીયે વાર હું સ્વર્ગસુખ અનુભવી આવ્યો છું, આ જર્જરિત જગતમાં રહ્યે રહ્યે. આ જગત આમ તો છે સાવ જર્જરિત, કંગાળ ને ખખડધજ, પણ તેમાં પણ મેં મારી પ્રિયતમાના સાન્નિધ્યની કલ્પના અનેક વાર કરી છેઃ ને જેટલી જેટલી વાર એ કલ્પના કરી છે તેટલી તેટલી વાર મને સ્વર્ગસુખનો અનુભવ થયો છે. |
| {{Poem2Close}} | | {{Poem2Close}} |
| {{right|(આપણો કવિતા-વૈભવ)}}<br><br> | | {{right|(આપણો કવિતા-વૈભવ)}}<br><br> |