હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/સંપાદક-પરિચય

Revision as of 17:07, 28 March 2026 by Meghdhanu (talk | contribs)
સંપાદક પરિચય

ડો. રઈશ મનીઆર ગુજરાતી સાહિત્યના અત્યંત લોકપ્રિય ગઝલકાર અને ગઝલના અભ્યાસુ છે. તેમના ગઝલ સંગ્રહોમાં ‘કાફિયાનગર’, ‘શબ્દ મારા સ્વભાવમાં જ નથી’, ‘આમ લખવું કરાવે અલખની સફર’ અને ‘કેવળ સફરમાં છું’ નો સમાવેશ થાય છે. તેઓ માત્ર ગઝલકાર જ નહીં, પરંતુ વાર્તાકાર, નાટ્યકાર, ગીતકાર અને મંચસંચાલક તરીકે પણ જાણીતા છે. તેમણે નવોદિતોની એક આખી પેઢીને ગઝલના છંદશાસ્ત્રનું માર્ગદર્શન આપ્યું છે. તેમની રચનાઓમાં મનોવૈજ્ઞાનિક સમજ, સામાજિક નિસબત અને ઊંડાણનો અદભૂત સમન્વય જોવા મળે છે. એક આસ્વાદક તરીકે એમણે ગાલિબથી લઈ મરીઝ સુધીના ગઝલકારોને સરળ રીતે ભાવકો સુધી પહોંચાડયા છે. પોતાના સાહિત્યિક પ્રદાન બદલ તેઓ નર્મદ સુવર્ણચંદ્રક તેમ જ કલાપી એવોર્ડથી વિભૂષિત થયા છે.