મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૨.વલ્લભ ભટ્ટ
૫૨.વલ્લભ ભટ્ટ
ગરબા-કવિ વલ્લભ મેવાડા તરીકે પણ ઓળખાતા આ શક્તિઉપાસક કવિએ મધુર અને પ્રાસાદિક ભાષામાં અને વિવિધ રાગઢાળો યોજીને ખૂબ લોકપ્રિય ગરબા રચ્યા છે. ‘અંબાજીના શણગારનો ગરબો’, ‘આનંદનો ગરબો’, ‘મહાકાળીનો ગરબો’, ‘ગાગરનો ગરબો’ એવા ખૂબ જાણીતા, લાંબા અને વર્ણનાત્મક, ગરબામાં એમણે અંબા, બહુચરા અને મહાકાળીનું મહિમાગાન કર્યું છે. એમાં અલંકાર-વૈભવ, સ્વાભાવોક્તિભર્યાં ચિત્રણો, પ્રાસ-અનુપ્રાસની ગૂંથણી, નાટ્યાત્મક પ્રસંગનિરૂપણ નોંધપાત્ર છે. આ ઉપરાંત તે સમયની સામાજિતાને નિરૂપતા ‘કજોડાનો ગરબો/ગોરમાનો ગરબો’ જેવા તથા‘કળિકાળનો ગરબો’ જેવા ઐતિહાસિક વિષયના ગરબા પણ એમણે લખ્યા છે, તેમજ નાની ગરબીઓ, મહિના, વાર, આરતી, ભક્તિપદો વગેરેની રચના પણ કરી છે. વર્ષો સુધી આ કવિનાગરબાગુજરાતમાં ગવાતા રહ્યા છે.