ઉપજાતિ/પ્રણયીની ચાટુ-ઉક્તિ

From Ekatra Wiki
Revision as of 05:41, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રણયીની ચાટુ-ઉક્તિ| સુરેશ જોષી}} <poem> જો સૂર્યને ઊગવું હોય ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રણયીની ચાટુ-ઉક્તિ

સુરેશ જોષી

જો સૂર્યને ઊગવું હોય તો ઊગે,
પ્હેલાં જરા આટલું સાંભળી લે;

મારી શિરામાં ય હજાર સૂર્યો
દાવાનળો લાખ હતા ધખાવતા;
રે કિન્તુ એનાં નયનોની સ્નિગ્ધ
મારી પરે દૃષ્ટિ થતાં જ માત્ર
સૂર્યો બધા ક્યાં ય ગયા બૂઝાઈ
ને ચાંદની શી છલકાઈ શીતળી!
કણે કણે અમૃતનો ફુવારો,
ભાંગી રહી એ ભરતી કિનારો.

જો સૂર્યને ઊગવું હોય તો ઊગે,
પ્હેલાં જરા આટલું ધ્યાનમાં લે.