પરકીયા/કહે પ્રિય

From Ekatra Wiki
Revision as of 07:03, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કહે પ્રિય| સુરેશ જોષી}} <poem> અતિરેક સુખનો શું કરે મ્લાન તવ પક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કહે પ્રિય

સુરેશ જોષી

અતિરેક સુખનો શું કરે મ્લાન તવ પક્ષ્મછાય?
કહે પ્રિય, કહે મને, જેથી મને સમજાય:
રાત ઢળવાને સમે વૃક્ષમૂળે કમ્પે છાંય
તેમ ઉર તારું શાને છાયાસમ નયને છવાય?

તારું મ્લાન મુખ કરે મ્લાન સર્વ પરિવેશ
કરુણ કપોતી મમ, કહે, શો છે વિષાદ આ નેત્રે તવ?
નિકટ તું સરી આવ, અડવા દે કપોલે કપોલ,
કહે મને, ફરી ફરી કહે: ‘સ્વર તારો નચાવે હૃદય મમ.’