ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૮

From Ekatra Wiki
Revision as of 04:23, 11 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૮|}} <poem> {{Color|Blue|[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદાં જુદા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કડવું ૧૮

[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદાં જુદાં પ્રકારનાં અઢળક દાન આપે છે. અને ગદગદ કંઠે ચંદ્રહાસનો અનુનય ઈચ્છે છે. આ રીતે ચંદ્રહાસ વિષ (મોત) ને બદલે વિષયા પામે છે.]

રાગ : સોરઠ
બોલ્યા નારદ ઋષિ ભગવાન, સુણો અર્જુન વીર બળવાન,
મદન આપે કન્યાદાન, લે છે ચંદ્રહાસ રાજાન.          ૧

પહેલું મંગળ જ્યાં વરતાય, વરકન્યા ફેરા ફરાય,
માનુની મંગળ ગાય, ભેરી નફેરી શબ્દ બહુ સંભળાય.          ૨

બોલ્યો મદન મુખે ઉચ્ચા : ‘સાંભળો, કુલિંદરાજકુમાર,
પહેલે મંગળે મોતીના હાર, આપ્યા રથસહિત તોખાર.          ૩

‘બીજે ગૌધણ દઉં દાન, ત્રીજે સહસ્ત્ર કુંજર કેરાં લો માન.’
ચોથે કૂંચી સહિત ભંડાર’ આપી કીધો ત્યાં નમસ્કાર.           ૪

મદને જોડ્યા બન્યૌ પાણિ, ગદ્‌ગદ કંઠે બોલ્યો વાણી :
‘મથી એવું જ આપું આણી, તમને સોંપું મારો પ્રાણી.          ૫

હું સેવીશ તમારં ચરણ, શુદ્ધ રાખજો અંતઃકરણ;
તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’          ૬

એમ મદને દીક્ષિતપણું લીધું, વિહિવા-કાર્ય સંપૂરણ કીધું.
વિષયાનું કારજ સીધ્યું, નારીનું મન વિહ્‌વલ કીધું.          ૭

નારદ કહે : અર્જુન, અવિધારો, ધૃષ્ટબુદ્ધિ બાજી હાર્યો,
જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો,’ પણ પાર શ્રીકૃષ્ણે ઉતાર્યો.          ૮

વલણ
ઉતાર્યો કૃષ્ણે દાસ જાણી, તે ત્યાં હારી બેઠો સહી રે;
નારદ કહે : સાંભળો, રે અર્જુન, એ કથા એટલેથી રહી રે.          ૯