ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યપદાવલિ

Revision as of 12:11, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કાવ્યપદાવલિ (Poetic Diction)'''</span> : વાણી અને લેખનમાં શબ્દોની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કાવ્યપદાવલિ (Poetic Diction) : વાણી અને લેખનમાં શબ્દોની વિશિષ્ટ વરણી અને ગોઠવણી. શૈલીવિજ્ઞાનીઓ સામાન્યભાષા અને કાવ્યભાષા વચ્ચે ભેદ કરે છે. કાવ્યપદાવલિ એ વ્યાપકપણે તો કાવ્યભાષાના પ્રશન્નો જ એ ભાગ છે. વર્ડ્ઝવર્થ અને કોલરિજે કાવ્ય પદાવલીના સંપ્રત્યયની વિવેચનના સંદર્ભમાં વિશેષ પ્રતિષ્ઠા કરી. વર્ડ્ઝવર્થ જે સ્વાભાવિક હોય તે જ કાવ્યપદાવલિનો પુરસ્કાર કરે છે અને જે કૃત્રિમ હોય તેનો આની સામે વિરોધ કરે છે. કોલરિજ કહે છે કે સાધારણ ભાષાથી કાવ્યભાષા ભિન્ન જ હોવી જોઈએ, કારણ કે એ બંનેનાં પ્રયોજન પણ જુદાં છે અને અંત :સત્ત્વ પણ જુદાં છે. જોકે આમ છતાં, કોલરિજ કવિને એના ચિત્તની પ્રકૃતિ પ્રમાણે પદાવલિ યોજવાની છૂટ આપવામાં પણ માને છે. હ.ત્રિ.