ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નર્મદ સાહિત્યસભા

Revision as of 13:41, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નર્મદ સાહિત્યસભા'''</span> : ૧૯૨૩માં ‘ગુજરાતી સાહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નર્મદ સાહિત્યસભા : ૧૯૨૩માં ‘ગુજરાતી સાહિત્યમંડળ’ રૂપે સુરતમાં સ્થપાયેલી સંસ્થા ૧૯૩૯માં ‘નર્મદ સાહિત્યસભા’ નામે નવસંસ્કરણ પામી છે. નર્મદ સાહિત્યસભાએ એકતરફ લેખકમિલનો યોજીને સાહિત્યકારોના પારસ્પરિક સંપર્ક-સંસર્ગની આવકારપાત્ર પ્રવૃત્તિ આરંભી તો, બીજી બાજુ હેમચન્દ્રાચાર્ય સારસ્વત મહોત્સવ (૧૯૩૯), કવિ કાલિદાસ સમારોહ(૧૯૪૦), મૂળરાજ સોલંકી સહસ્રાબ્દી(૧૯૪૨) જેવા કાર્યક્રમો યોજીને ગુજરાતી ભાષાસાહિત્ય તથા પ્રજાજીવનને સાંકળવાનો પુરુષાર્થ કર્યો છે. સંસ્થા દ્વારા ૧૯૪૦થી આજ પર્યન્ત અપાતો નર્મદચન્દ્રક ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર બહુમાન ગણાય છે. ર.ર.દ.