ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાવૃત્ત પદવિન્યાસ

Revision as of 05:03, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરાવૃત્ત પદવિન્યાસ (Chiasmus)'''</span> : ગદ્ય કે પદ્યમાં સમત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પરાવૃત્ત પદવિન્યાસ (Chiasmus) : ગદ્ય કે પદ્યમાં સમતુલન કરતી વાક્યતરાહો, જેમાં મુખ્ય ઘટકોનો વિપર્યય કરવામાં આવ્યો હોય. બીજી રીતે કહીએ તો સમાન્તર વાક્યખંડો વચ્ચેનો વિપર્યય યુક્ત સંબંધ અહીં અભિપ્રેત છે : કાલિદાસની જાણીતી ઉક્તિ ‘न ययौ न तस्थौ’ આનું ઉદાહરણ છે. ચં.ટો.