ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રસ્તાવના

From Ekatra Wiki
Revision as of 08:40, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


પ્રસ્તાવના : સંસ્કૃત નાટકમાં નાન્દીપાઠ પછી થતી પ્રસ્તાવનામાં નટી, વિદૂષક કે પારિપાર્શ્વિક સૂત્રધાર સાથે થતા વાર્તાલાપ દ્વારા નાટ્યવસ્તુનો પરિચય આપે છે; જેમાં વાચિક અભિનય પ્રધાન હોય છે. નાટકમાં પાત્રપ્રવેશના આધારે પ્રસ્તાવનાના ‘દશરૂપક’કારે ત્રણ ભેદ દર્શાવ્યા છે : સૂત્રધારના વાક્ય કે એનો અર્થ લઈને ‘મુદ્રારાક્ષસ’ કે ‘વેણીસંહાર’માં થાય છે તેવો પાત્રપ્રવેશ કથોદ્ઘાતક છે; ઋતુવર્ણનના સામ્ય આધાર પર ‘પ્રિયદર્શિકા’માં થાય છે તેવો પાત્રપ્રવેશ પ્રવર્તક છે; તો સૂત્રધારની ‘આ આવી રહ્યો છે’ એવી પ્રત્યક્ષ સૂચના સાથે ‘અભિજ્ઞાન શાકુન્તલ’માં થાય છે તેવો પાત્રપ્રવેશ પ્રયોગાતિશય છે. ચં.ટો.