સોરઠી સંતવાણી/શીદને સંતાપો રે!

From Ekatra Wiki
Revision as of 05:14, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શીદને સંતાપો રે!|}} <poem> અવળાં શીદને સંતાપો રે, શીદને રંઝાડો ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શીદને સંતાપો રે!

અવળાં શીદને સંતાપો રે, શીદને રંઝાડો રે,
સઘળું કુટુંબ મળીને.
મારે છે કાંઈ હાં…સાંઈને સમર્યાનું રે હેત,
મારે છે કાંઈ હાં…હરિને ભજ્યાનું રે હેત. — અવળાં.
ઘરણાં વગોણાં રે મારે મન અતિ ઘણાં રે,
તેમાં તમો કડવાં મ બોલોને વેણ. — અવળાં.
કાચી છે હે કાયા રે કુંપો વીરા કાચનો રે,
તેને તો કાંઈ ફૂટતાં નહીં લાગે વાર. — અવળાં.
ઝેરના પિયાલા રે સિકંદર સુમરો મોકલે રે,
પી લે પી લે હેતેથી તું એલા દાસ. — અવળાં.
ઝેરના પિયાલા રે હોથી સુમરો પી ગયા રે,
આવ્યા છે કાંઈ અમી તણા ઓડકાર. — અવળાં.
મોરારને વચને રે હોથી સુમરો બોલિયા રે,
દેજો દેજો સંતુના ચરણુંમાં વાસ. — અવળાં.