ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખુશાલદાસ-૨ ખુશાલભાઈ

From Ekatra Wiki
Revision as of 07:06, 5 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખુશાલદાસ-૨/ખુશાલભાઈ'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ખુશાલદાસ-૨/ખુશાલભાઈ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ] : નિરાંત-સંપ્રદાયના કવિ. નિરાંત-મહારાજ (જ.ઈ.૧૭૪૭-અવ. ઈ.૧૮૫૨)ના પુત્ર. જ્ઞાતિએ ગોહેલ રાજપૂત. નિરાંત-મહારાજ પછી દેથાણની ગાદી પર આવેલા. અધ્યાત્મવિષયક પદો(કેટલાંક મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગુમુવાણી (+સં.); ૨. જ્ઞાનોદય પદ સંગ્રહ, સં. ભગત કેવળરામ કાલુરામ, -. સંદર્ભ : નિરાંત કાવ્ય, સં. ગોપાળરામ શર્મા, ઈ.૧૯૩૯.[દે.દ.]