ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજચંદ ઉપાધ્યાય

Revision as of 06:48, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તેજચંદ(ઉપાધ્યાય)'''</span> [ઈ.૧૬૪૪માં હયાત] : તપગચ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તેજચંદ(ઉપાધ્યાય) [ઈ.૧૬૪૪માં હયાત] : તપગચ્છની ચંદશાખાના જૈન સાધુ. સકલચંદની પરંપરામાં માનચંદના શિષ્ય. ૪૭૫/૫૫૦ કડીના ‘પુણ્યસાર-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૪૪/સં.૧૭૦૦, માગશર વદ ૫, સોમવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]