ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવજી સ્વામી-૨

From Ekatra Wiki
Revision as of 12:00, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવજી(સ્વામી)-૨'''</span> [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દેવજી(સ્વામી)-૨ [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધુ. હિન્દી-પ્રચુર ગુજરાતીમાં ‘અમરાભિધઋષિ’ એવી નામછાપ ધરાવતી ‘ઉપદેશી લાવણી’ (૨.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, આસો સુદ/વદ ૫, સોમવાર; મુ.)ના કર્તા. આ કવિ લોંકાગચ્છના લીંબડી સંપ્રદાયમાં અવિચલજીની પાટે આવેલા દેવજીસ્વામી હોવાનું સમજાય છે. એ મૂળ વાંકાનેરના લોહાણા હતા. ૧૦ વર્ષની વયે દીક્ષા રાપરમાં ઈ.૧૮૧૪માં. આચાર્યપદ ઈ.૧૮૩૦. અવસાન લીંબડીમાં ઈ.૧૮૬૪ (સં. ૧૯૨૦, જેઠ સુદ ૮, રવિવાર). કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ભા : ૧, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસમાલા (શા) : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’. [ર.ર.દ.]