ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મમંદિર-૧

Revision as of 08:41, 29 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મમંદિર-૧'''</span> [ઈ.૧૪૯૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણરત્નસૂરિ (અવ.ઈ.૧૪૯૦)ના શિષ્ય. ૪૯ કડીની ગુણરત્નસૂરિના જીવન, દીક્ષા, તપ વગેરે વિશે વીગતે માહિતી આપતી ‘ગુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ્મમંદિર-૧ [ઈ.૧૪૯૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણરત્નસૂરિ (અવ.ઈ.૧૪૯૦)ના શિષ્ય. ૪૯ કડીની ગુણરત્નસૂરિના જીવન, દીક્ષા, તપ વગેરે વિશે વીગતે માહિતી આપતી ‘ગુણરત્નસૂરિ-વિવાહલઉ’ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૧-‘દો વિવાહલોકા ઐતિહાસિક સાર’, અગરચંદ નાહટા.[ર.સો.]