ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભગવાનદાસ-૨

From Ekatra Wiki
Revision as of 10:30, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભગવાનદાસ-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વૈષ્ણવ. આ કવિની વલ્લભવંશ અંગેની ચરિત્રાત્મક કૃતિ ‘ગોકુલની શોભા’માં ઈ.૧૬૦૭માં જન્મેલા ગોકુલાલંકારજીના બાલ્યનો ઉલ્લેખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભગવાનદાસ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વૈષ્ણવ. આ કવિની વલ્લભવંશ અંગેની ચરિત્રાત્મક કૃતિ ‘ગોકુલની શોભા’માં ઈ.૧૬૦૭માં જન્મેલા ગોકુલાલંકારજીના બાલ્યનો ઉલ્લેખ છે એ પરથી કૃતિ એ સમયની આસપાસ રચાઈ હોવાનું કહી શકાય. ૩૬ કડીના આ ધોળ કાવ્યનો કેટલોક અંશ મુદ્રિત છે. કૃતિ : કવિચરિત : ૧-૨ (+સં.). સંદર્ભ : ગુસારસ્વતો. [ર.સો.]