ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિવિમલ-૧

From Ekatra Wiki
Revision as of 04:15, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મુનિવિમલ-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવજ્યસૂરિની પરંપરામાં વિમલહર્ષ (ઈ.૧૬૦૨માં હયાત)ના શિષ્ય. ૨ ઢાળ અને ૩૩ કડીના ‘શ્રીઆદિનાથ-સ્તવન’(મુ.)...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મુનિવિમલ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવજ્યસૂરિની પરંપરામાં વિમલહર્ષ (ઈ.૧૬૦૨માં હયાત)ના શિષ્ય. ૨ ઢાળ અને ૩૩ કડીના ‘શ્રીઆદિનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. વિજ્યતિલકની હયાતીમાં રચાયેલ ૫ કડીની ‘વિજ્યતિલકસૂરિ-સઝાય’(મુ.) ને ૬૧ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૭) એ કૃતિઓ રચનાસમય જોતાં આ જ કર્તાની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ઐસમાળા : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૨-‘મ્હેસાણા મંડન શ્રી આદિનાથ સ્તવન’, સં. શ્રી જયંત વિજ્યજી. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]