ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજતિલક ગણિ

From Ekatra Wiki
Revision as of 09:45, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજતિલક(ગણિ)'''</span> [ઈ.૧૨૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. તેઓ જિનપ્રબોધસૂરિના શિષ્ય હતા અને તેમણે ઈ.૧૨૬૬માં આચાર્યપદ મેળવ્યું હતું. તેમણે અપભ્રંશપ્રધાન ગુજરાત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રાજતિલક(ગણિ) [ઈ.૧૨૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. તેઓ જિનપ્રબોધસૂરિના શિષ્ય હતા અને તેમણે ઈ.૧૨૬૬માં આચાર્યપદ મેળવ્યું હતું. તેમણે અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૩૫ કડીના ‘શાલિભદ્રમુનિ-રાસ’(મુ.)ની રચના કરી છે. કૃતિ : ૧. પ્રાગુકાસંચય (+સં.);  ૨. જૈનયુગ, ચૈત્ર ૧૯૮૩-‘રાજતિલકગણિકૃત શાલિભદ્રરાસ’, સં. મણિલાલ બ. વ્યાસ. સંદર્ભ : ૧. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૬૩-‘શાલિભદ્રરાસના કર્તા રાજતિલકનો સમય’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]