ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપસીભાઈ

From Ekatra Wiki
Revision as of 06:51, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂપસીભાઈ'''</span> [ઈ.૧૮૨૧ આસપાસ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. ૫૯ કડીની ‘વિચારવિલાસ’(મુ.) કૃતિના કર્તા. ઈ.૧૮૨૧માં કવિને સહજાનંદ સ્વામીનો સમાગમ થયો એવો ઉલ્લેખ કૃતિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રૂપસીભાઈ [ઈ.૧૮૨૧ આસપાસ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. ૫૯ કડીની ‘વિચારવિલાસ’(મુ.) કૃતિના કર્તા. ઈ.૧૮૨૧માં કવિને સહજાનંદ સ્વામીનો સમાગમ થયો એવો ઉલ્લેખ કૃતિમાં મળે છે તે પરથી કવિ તે સમય દરમ્યાન થયા હોવાની સંભાવના છે. કૃતિ : ૧. કીર્તન મુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮; ૨. છંદ-રત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારજ, સં. ૧૯૪૧.[કી.જો.]