ભરત વિંઝુડાની ગઝલસંપદા/તરસ લાગે

From Ekatra Foundation
Revision as of 10:18, 20 November 2025 by Meghdhanu (talk | contribs) (Inserted a line between Stanza)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬૧
તરસ લાગે

હોય તું જળ અને તરસ લાગે,
એમ તારી મને તરસ લાગે.

તું કરે એમ મારે કરવું છે,
શું કરે જો તને તરસ લાગે.

એ દુઆ હું કરું છું, તું પણ કર,
આમનેસામને તરસ લાગે.

ડોલ કે દોરડુંય હોય નહીં,
એમ કૂવા કને તરસ લાગે.

જેની નીચે વહી જતાં વાદળ,
એ ઊંચા આસને તરસ લાગે.

(ચિત્તની લીલાઓ)