ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીદેવ-૧

From Ekatra Wiki
Revision as of 17:03, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીદેવ-૧'''</span> [ઈ.૧૬૯૩માં હયાત] જૈન સાધુ. જ્ઞાનચંદના શિષ્ય. ૮ કડીની હિન્દીપ્રધાન ગુજરાતીમાં રચાયેલી ‘રહનેમિ-સઝાય’(મુ.), શિષ્ય કલ્યાણની સહાયથી રચાયેલી ‘થાવચ્ચામ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શ્રીદેવ-૧ [ઈ.૧૬૯૩માં હયાત] જૈન સાધુ. જ્ઞાનચંદના શિષ્ય. ૮ કડીની હિન્દીપ્રધાન ગુજરાતીમાં રચાયેલી ‘રહનેમિ-સઝાય’(મુ.), શિષ્ય કલ્યાણની સહાયથી રચાયેલી ‘થાવચ્ચામુનિ-સંધિ’ (ર.ઈ.૧૬૯૩/સં.૧૭૪૯, માગશર વદ ૭), ૧૩ ઢાળની ‘સાધુવંદના’, ૨૭૬ કડીની ‘ઋષભવિવાહ-ધવલ’, ‘નાગશ્રી-ચોપઈ’, ‘ધનાઅણગાર-સઝાય’ તથા અન્ય કેટલીક સઝાયોનાં કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૬૭. સંદર્ભ : ૧. પ્રાકારૂપંરપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી. [કી.જો.]