કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪૫. મૃત્યુને

From Ekatra Wiki
Revision as of 02:31, 14 September 2023 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૫. મૃત્યુને

તું
મારી નૌકાના સઢમાં
છિદ્ર પાડી
પવન ચોરી જઈશ
ને
નૌકામાં
દરિયો છલકાવી
એને ડુબાડી દઈશ
સાગરના પેટાળમાં.
પણ
મારી કવિતાની પંક્તિઓમાં
મહોરેલી વસંતને
ક્યારેય ફેરવી નહીં શકે
પાનખરમાં…


(દ્વિદેશિની, પૃ. ૨૪૧)