અસ્તિ/5000 શબ્દોની હ્રસ્વ-દીર્ઘ પાનખર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
5000 શબ્દોની હ્રસ્વ-દીર્ઘ પાનખર

આ પુસ્તક બે પ્રકારની જોડણીમાં પ્રિન્ટ થયેલું છે.

ગૂજરાત વિદ્યાપીઠ પ્રકાશિત ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ પ્રમાણેની જોડણી

‘અસ્તી’ની પ્રથમ આવૃત્તીમાં… જે રીતે દીર્ઘ-ઈ અને હ્રસ્વ-ઉનો ઉપયોગ થયેલો એ પ્રકારની જોડણી.

બે પ્રકારની જોડણી ધરાવતું આ પુસ્તક… ઘણીબધી બાબતોની સ્પષ્ટતાઓ કે સમજણનો વીસ્તાર કરી આપશે… તેમજ જોડણી-ભાષાનો તુલનાત્મક અભ્યાસ કરવામાં મદદરૂપ થશે એ હેતુ સાથે આમ કરવામાં આવ્યું છે.

હું પોતે… દીર્ઘ-ઈ અને હ્રસ્વ-ઉ જોડણીમાં માનું છું.

એટલા માટે કે તેનાથી –

ભાષાને કોઈ હાનિ પહોંચતી નથી.

જોડણીને કોઈપણ સ્વરૂપે-પ્રકારે પ્રયોજવાથી કોઈ અનર્થ પેદા થતો નથી.

આજની પરીસ્થિતિમાં હ્રસ્વ-દીર્ઘ-ઈ-ઉ… ભેદક નથી… ઉચ્ચારમાં અને અર્થમાં.

ભાષાને લખાણ સાથે જ માત્ર સંબંધ નથી, એ બોલાતી બાબત છે. માત્ર સંગ્રહીત કરવા માટે જ લીપીનો આશ્રય લેવામાં આવે છે.

ઉચ્ચારણ પ્રમાણે કોઈપણ ભાષા લખાતી નથી.

ભાષાને લીપીમાં મુકીએ છીએ ત્યારે જ જોડણીના પ્રશ્નો સર્જાય છે… એ સીવાય નહીં.

ભાષાની અને લીપીની સરળતા, સગવડ, વ્યાવહારીકતા, વાસ્તવીકતા અને લચીકતા માટે એક જ પ્રકારની જોડણી જરૂરી બને છે.

એટલે… છતાંયે… માટે… કારણે… તેથી… તો પણ… તેમ છતાં…

આ પુસ્તક બે પ્રકારની જોડણીમાં પ્રગટ કર્યું છે.

શ્રીકાન્ત શાહ.

નોંધ : પહેલી વાર માત્ર દીર્ઘ-ઈ અને હ્રસ્વ-ઉ જોડણીને પ્રયોજી… 1964માં ‘અસ્તી’ની પહેલી આવૃત્તી પ્રગટ થયેલી

– આ જોડણીને આદર્શ તરીકે સ્વીકારી… ત્યાર પછી… કેટલાક લોકોએ અભીયાન ચલાવ્યું અને ઉંઝા જોડણી આશ્રયે… એક જ ઈ–ઉ હોવા જોઈએ તે માટેની ચળવળ ચલાવવામાં આવી.

– તો – 2005ની ‘અસ્તી’ની બીજી આવૃત્તીમાં… ગુજરાતી ભાષાના ઇતીહાસમાં પહેલીવાર જ… એક જ કૃતીના… બે પ્રકારની જોડણીમાં… સમાંતર બે મુદ્રણ એક જ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવ્યાં.