આચમની/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય

૧૯૯૫-૯૬નાં વર્ષો દરમિયાન, મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી વર્તમાનપત્ર ‘મિડ-ડે’માં શ્રી મકરન્દ દવેના વિચાર-પ્રેરક લેખ દરરોજ છપાતા. તેમાંના મોટા ભાગના લેખ આ અગાઉ આભલાં પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. બાકી રહેલા લેખ આજે આચમની સ્વરૂપે વાચકો પાસે મૂક્તાં આનંદ અનુભવીએ છીએ. ‘આભલાં’ના ચમકારાની જેમ જ ‘આચમની’ની અંજલિઓ પણ વાચકો માટે એવી જ તૃપ્તિદાયક નીવડશે એવી આશા છે.