કનૈયાલાલ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કવિ કનૈયાલાલ : જુઓ, પટેલ નાથાલાલ લીલાચંદ. કવિ કહાનજી ધર્મસિહ : કવિ, નાટ્યકાર. દલપતશૈલીના આ કવિએ ‘ગોરક્ષાપ્રકાશ’ (૧૮૯૧), ‘સુંદરીતિલક યાને સુબોધ ગરબાવળી’ (૧૮૯૨), ‘સંતોષશતક’ (૧૮૯૬) અને ‘સ્વલ્પસંગ્રહ’ જેવી કાવ્યકૃતિઓ; ‘ઢોલામારુ’ (૧૮૯૩) નાટક; ‘શેઠ ગોવિંદજી ઠાકરશી મૂળજીનું જીવનચરિત્ર’ (૧૯૦૪) અને ‘સૌભાગ્યવતીનું સંસારચિત્ર’ જેવાં પુસ્તકો આપ્યાં છે. આ સર્વ પૈકી ‘ગોરક્ષાપ્રકાશ’, ‘સુંદરીતિલક...’ તથા ૧૪૪ મધ્યકાલીન હિન્દી કવિઓની ભક્તિરસિક કૃતિઓના સંપાદન ‘સુબોધસંગ્રહ’(૧૮૮૮)ને સમાવતો એમનો સર્વકૃતિસંગ્રહ ‘કહાનકાવ્ય’ (૧૮૯૭) પણ પ્રગટ થયેલો છે. આ ઉપરાંત એમણે ‘અધ્યાત્મભજનમાળા’, ‘કાઠિયાવાડી સાહિત્ય', ‘ચમત્કારિક દૃષ્ટાંતમાળા’, ‘સત્સંગશિરોમણિ’, ‘સાહિત્યરત્નાકર તેમ જ ‘સાહિત્યસંગ્રહ’ જેવાં સંપાદનો પણ કર્યાં છે.