ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આલમચંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આલમચંદ આલમચંદ[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં આસકરણના શિષ્ય. ૧૩ ઢાળની ‘મૌન-એકાદશી-ચોપાઈ’ (૨. ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, મહા સુદ ૫, રવિવાર), ૧૧૪ કડીની હિંદી ભાષાની ‘જીવવિચારભાષા/જીવવિચાર-સ્તવન’ (૨. ઈ.૧૭૫૯/સં. ૧૮૧૫, વૈશાખ સુદ ૫, શુક્રવાર); ‘સમકિત-કૌમુદી-ચતુષ્પદી’ (૨. ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, માગશર સુદ ૪) અને ઈ.૧૭૬૮માં જિનયુક્તિસૂરિની પાટે આવેલા જિનચંદ્રની તેમની હયાતીમાં પ્રશસ્તિ કરતા ૧૩ કડીના ‘ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.] આલુ [       ] : જૈન. ‘બાર ભાવના’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]