ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આશકરણજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આશકરણજી [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. જેમલજીની પરંપરામાં રાયચંદ્રના શિષ્ય. ૧૦ કડીની ‘નિર્ગ્રંથ મુનિનું સ્તવન/સાધુવંદનાની સઝાય’ (૨. ઈ.૧૭૮૨; મુ.) ૧૯ કડીની ‘સામાયિકમાં બત્રીસ દોષના નિવારણની સઝાય’ (૨. ઈ.૧૭૮૨; મુ.), ૭ ઢાળની ‘નમિરાયની ઢાળ’ (૨. ઈ.૧૭૮૩/સં. ૧૮૩૯, પોષ સુદ ૧૩; મુ.), ‘ચૂંદડી-ઢાળ’ અને ૭ ઢાળની ‘ધન્નામુનિની ઢાળ’ (૨. ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, વૈશાખ વદ -; મુ.) એ કૃતિઓના કર્તા. ‘નમિરાયની ઢાળ’ તથા ‘ધન્નામુનિની ઢાળ’માં ભાષા હિન્દી-રાજસ્થાની-પ્રધાન છે. કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈસમાલા (શા) : ૨, ૩. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]