ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમાકલશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ક્ષમાકલશ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : રાસકવિ. આગમગચ્છના જૈન સાધુ. અમરરત્નસૂરિની પરંપરામાં કલ્યાણરાજના શિષ્ય. ‘સુંદરરાજા-રાસ’ (ર.ઈ.૧૪૯૫/સં. ૧૫૫૧, વૈશાખ વદ -, શનિવાર) અને ધર્મથી જય અને પાપીનો ક્ષય એ સિદ્ધાંતને વૈરસિંઘરાજાના પુત્ર લલિતાંગકુમારના કથાનક દ્વારા ચરિતાર્થ કરતા ૨૧૭ કડીના ‘લલિતાંગકુમાર-રાસ’ (ર.ઈ.૧૪૯૭/સં. ૧૫૫૩, ભાદરવા વદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા. કૃતિ : લલિતાંગકુમાર રાસ, સં. કનુભાઈ શેઠ, ધનવંત શાહ, ઈ.૧૯૮૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]