ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવરામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શિવરામ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : માતાજીના ભક્ત. ૨૯ કડીનો ‘ભવાનીનો ગરબો’ (ર.ઈ.૧૭૭૦/સં.૧૮૩૬, આસો સુદ ૨, શુક્રવાર; મુ.), ૨૧ કડીનો ‘જગતજોગમાયાનો ગરબો’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, આસો સુદ ૩, ગુરુવાર; મુ.), ૨૨ કડીનો ‘અંબાનો રાસ (મુ.), ૧૦ કડીની ‘આદ્યશક્તિની સ્તુતિ’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦ આસો સુદ ૩, ગુરુવાર; મુ.), ૨૫ પંક્તિની ‘માતાજીની સ્તુતિ’ (ર.ઈ.૧૭૮૫; મુ.), ૪૫ કડીનો ‘અંબાજીનો ગરબો’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, શ્રાવણ સુદ ૧૪, બુધવાર; મુ.) તથા ૧૧, ૨૯ અને ૫૮ કડીના અન્ય ગરબા(મુ.)ના કર્તા. ૪૪ કડીના કાળીંગણીનો ગરબો(મુ.)માં ‘મકનસુત શિવરામ’ એવી નામછાપ મળે છે. બધી જ કૃતિઓની લખાવટ અને વિષયનું સામ્ય જોતાં એક જ કર્તાની અને તે મકનસુત શિવારમની હોવાની સંભાવના છે. આ નામે ૧૮ કડીનો ‘આશાપુરીનો ગરબો’ (ર.સં. સત્તર એકલંતરો, આસો-૧૩, રવિવાર; મુ.) મળે છે જે સમયદૃષ્ટિએ મેળમાં નથી, પણ વિષયદૃષ્ટિએ તે આ કર્તાએ રચ્યો હોવાની સંભાવના છે. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૩. ભજનસાગર : ૨; ૪. સતસંદેશ શક્તિઅંક,-. સંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા ઈ.૧૯૬૮. [શ્ર.ત્રિ.]