ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદર સુંદરજી સુંદરદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુંદર/સુંદરજી/સુંદરદાસ : સુંદરને નો ૫૬ કડીન ‘ઉદ્ધવ-ગીતા’(મુ.), ‘અષ્ટક’, ‘હમચી’, ‘હરિહરની આરતી’, ૧૫૫ કડીએ અધૂરી રહેલી ‘સુંદરવિલાસ’ તથા કૃષ્ણભક્તિને વૈરાગ્યબોધનાં પદો (૧૩ મુ.), સુંદરજીને નામે ‘૪૦ ડાહ્યા’(મુ.) ને ૧ પદ(મુ.) તથા સુંદરદાસને નામે પદો (કૃષ્ણભક્તિનાં ૪ મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા સુંદર/સુંદરજી/સુંદરદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. છંદરત્નાવલિ, સં. વિહારીલાલજી મહારાજ, ઈ.૧૮૮૫; ૨. નકાદોહન; ૩. પ્રાકાસુધા : ૩; ૪. ભજનિકકાવ્યસંગ્રહ, સં. શા. વૃન્દાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮; ૫. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]