ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધ્યાત્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અધ્યાત્મ, રામાયણ : પંદરમી સદીમાં લખાયેલું અને વ્યાસને નામે ચઢેલું અધ્યાત્મ રામાયણ ‘બ્રહ્માંડપુરાણ’નો જ એક અંશ છે, એવું ‘નારદપુરાણ’ની વિષયસૂચિ પરથી લાગે છે. વાલ્મીકિના ‘રામાયણ’ સાથે એને ઘનિષ્ઠ સંબંધ છે. અહીં પણ સાત ખંડો છે, અને બાહ્યરૂપ ૪,૦૦૦ શ્લોકોના બનેલા મહાકાવ્યનું છે; તેમ છતાં અદ્વૈતવેદાન્તના દર્શનનો, તાંત્રિકસ્વરૂપનો અને મોક્ષના માર્ગ તરીકે રામભક્તિનો પુરસ્કાર અહીં મુખ્ય છે. આ ગ્રંથ વત્તેઓછે અંશે વૈષ્ણવ વિચારધારાનો વાહક છે અને એમાં રામાનુજના વિશિષ્ટાદ્વૈત દર્શનનો પ્રતિવાદ છે. વળી, અન્ય આગમોની જેમ એ શિવ અને ઉમાના સંવાદ રૂપે છે. એમાં રામ વિષ્ણુ અને સીતા લક્ષ્મી કે પ્રકૃતિ તરીકે નિરૂપાયેલાં છે અને કેટલાક નવા પ્રસંગો પણ ઉમેરાયેલા છે. ચં.ટો.