ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉભયમુખતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉભયમુખતા, દ્વિર્ભાવ(Ambivalence) : એક જ વસ્તુ, વિચાર, ઘટના કે પાત્ર પરત્વે ઉદ્ભવતી બે વિરોધાભાસી ભાવસ્થિતિ, એક જ મુદ્દાને બે કે તેથી વધુ દૃષ્ટિકોણથી તપાસવાની વૃત્તિ. મૈત્રેયીદેવીની બંગાળી નવલકથાનું પાત્ર અમૃતા એક પ્રસંગે વર્તમાનમાંથી ઊંચકાઈને ૧૯૩૦ના તેના અનુભવમાં સરી પડે છે તે સ્થિતિને ભાવકના દૃષ્ટિકોણથી ઉમાશંકર જોશી આ રીતે મૂલવે છે : ‘(અહીં) હૃદયભાવની ઉભયમુખતા(ambivalence)નો પ્રભાવ કામ કરી જાય છે...’ [શબ્દની શક્તિ, પૃ. ૧૭૨] પ્રતીકરચનાની ચર્ચામાં, ‘કોઈકવાર પ્રતીક એકીસાથે અનેક વિભિન્ન અર્થોના કલાપને વિસ્તારે છે,’ એમ કહેતાં ભાવશબલતા(ambivalent attitudes)ને પ્રકટ કરવામાં એ સમર્થ સાધન બને છે, એવી પ્રતીકરચનાના સંદર્ભે પ્રકટ થતી ઉભયમુખતા(ambivalence)ની ચર્ચા થઈ છે. ‘(કિંચિત્. ‘સુરેશ જોષી’, પૃ. ૨૯, ૯૦) પ.ના.