ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યપદાવલિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાવ્યપદાવલિ (Poetic Diction) : વાણી અને લેખનમાં શબ્દોની વિશિષ્ટ વરણી અને ગોઠવણી. શૈલીવિજ્ઞાનીઓ સામાન્યભાષા અને કાવ્યભાષા વચ્ચે ભેદ કરે છે. કાવ્યપદાવલિ એ વ્યાપકપણે તો કાવ્યભાષાના પ્રશન્નો જ એ ભાગ છે. વર્ડ્ઝવર્થ અને કોલરિજે કાવ્ય પદાવલીના સંપ્રત્યયની વિવેચનના સંદર્ભમાં વિશેષ પ્રતિષ્ઠા કરી. વર્ડ્ઝવર્થ જે સ્વાભાવિક હોય તે જ કાવ્યપદાવલિનો પુરસ્કાર કરે છે અને જે કૃત્રિમ હોય તેનો આની સામે વિરોધ કરે છે. કોલરિજ કહે છે કે સાધારણ ભાષાથી કાવ્યભાષા ભિન્ન જ હોવી જોઈએ, કારણ કે એ બંનેનાં પ્રયોજન પણ જુદાં છે અને અંત :સત્ત્વ પણ જુદાં છે. જોકે આમ છતાં, કોલરિજ કવિને એના ચિત્તની પ્રકૃતિ પ્રમાણે પદાવલિ યોજવાની છૂટ આપવામાં પણ માને છે. હ.ત્રિ.