ધીરેન્દ્ર મહેતાની કવિતા/સર્જક-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સર્જક-પરિચય
નામઃ ધીરેન્દ્ર પ્રીતમલાલ મહેતા
જન્મઃ ૨૯-૦૮-૧૯૪૪, અમદાવાદ
વતનઃ ભુજ-કચ્છ
શિક્ષણઃ - એમ.એ. પીએચ.ડી.

- પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ ભુજમાં
- અનુસ્નાતક અને પીએચ.ડી. - અમદાવાદ

વ્યવસાયઃ આકાશવાણી, ત્યારબાદ યુ.જી.સી. રિસર્ચ ફેલો; ત્યારબાદ પ્રથમ ગુજરાત કૉલેજ, અમદાવાદ અને પછી રા.ર. લાલન કૉલેજ - ભુજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગ-અધ્યક્ષ. ૩૭ વર્ષની શૈક્ષણિક સેવા બાદ ઑક્ટોબર-૨૦૦૬માં નિવૃત્તિ. પછી કચ્છ યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા.
પ્રકાશનઃ કવિતા, નવલિકા, નવલકથા, નિબંધ, રેખાચિત્ર, આત્મકથા, વિવેચન, સંપાદનના પચાસથી વધુ પુસ્તકો પ્રકાશિત
મુખ્ય પુરસ્કારઃ- કેન્દ્રિય સાહિત્ય અકાદેમી (દિલ્હી) - એવોર્ડ - ૨૦૧૦, (નવલકથા ‘છાવણી’ માટે)

- રણજિતરામ સુવર્ણચંદ્રક - ૨૦૧૧, (સમગ્ર પ્રદાન માટે)
- સર્વ પ્રથમ ગોવર્ધનરાય નવલકથા પારિતોષિક - ૨૦૧૭ તેમજ ધનજી કાનજી સુવર્ણચંદ્રક ફાઉન્ડેશન -એવોર્ડ, ક.મા. મુનશી સુવર્ણચંદ્રક, નર્મદ સાહિત્ય સભા પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો-ઇત્યાદિ.

અન્યઃ ‘છાવણી’ - મરાઠી અનુવાદ - ૨૦૧૩, હિન્દી અનુવાદ - ૨૦૧૬ અને રાજસ્થાની અનુવાદ ૨૦૨૧; તે ઉપરાંત કેટલાંક કાવ્યો અને વાર્તાઓ હિન્દી, અંગ્રેજી અને અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત.
સંપર્કઃ ‘જીવનછાયા’ હૉસ્પિટલ રોડ,

ભુજ-કચ્છ - ૩૭૦ ૦૦૧,
મો. ૮૯૮૦૦ ૧૧૦૨૫,
Email: dhirendramehta29@gmail.com