મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિષ્કુળાનંદ પદ ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પદ ૫

નિષ્કુળાનંદ

તમે અંતરની આંખે ઓળખી, કરો સદ્ગુરુ સંતનો સંગ;
કરો સંતની ઓળખ- ટેક.
ગાએ ગીતા ભાગવત સંતને, એવાં લક્ષણ હોય જેને અંગ. ઓળ૦
એથી અર્થ સરે સર્વે આપણો, જાય જન્મ મરણનું દુ:ખ;          ઓળ૦
હર્ષ શોક સમે આ સંસારનો, થાયે અંતરે શાંતિ ને સુખ.          ઓળ૦
કરે નિર્ભે, ભાગી ભવ ભયને, તેને પાછો પ્રભાવ ન થાય;          ઓળ૦
મટે કાળ ક્રમ ને કલ્પના, જેમ સિરતે જાંગીન વાય.          ઓળ૦
સાચા સદ્ગુરૂથી સુખ પામીએ, ખાય ખોટાથી મોટી ખોટ;          ઓળ૦
જેથી જન્મ જાયે એળે આપનો, પછી ચઢીએ તે કાળને ચોટ.          ઓળ૦
પાર્સ્ય ન કરે પોત પાષાણનું, તરે તારે જો કાષ્ઠનું ઝાઝ.          ઓળ૦
એમ સત્ય અસત્યને ઓળખી, વળી કરીએ વિવેક વિચાર;          ઓળ૦
કહે નિષ્કુલાનંદ નર હે તને એળે ન ખોઈએ આ અવતાર.          ઓળ૦