સોરઠી સંતવાણી/મેં ગભરુ ગુરુ કા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મેં ગભરુ ગુરુ કા

મેં ગભરુ રે ગુરુ કા
જેણે લિયા ગગનગઢ બંકા…જી. — મેં ગભરુ.
પાંચ તંતરા બન્યા તંબૂરા તેને
ખૂંટા લગાયા તીન ગુણ કા…જી
ગુરુકી ગમસે ગગન સૂઝે તો
તાપ બુઝાયા તન કા. — મેં ગભરુ.
નાદ બુંદરી નોબત બાજે ત્યારે
ઘોર કરે રે ઘનુંકા…જી
ઘેરી ઘેરી મોરલી બાજે ગગન મેં
શબદ સુનાયા તનુકા. — મેં ગભરુ.
ઉનમુન જોગી રિયા એકીલા ત્યાં
દોર લગ્યા એક દમકા…જી
મન પવન કી ફેરવી લે માળા તે
દુવા બીજ કા ચમકા. — મેં ગભરુ.
તેજ વખત પર કરે કિલોળા ત્યાં
જોર નૈ ચાલે જમ કા જી
સાસ ઉસાસે વા ઘરૂં લાયા તો
પ્રેમ કહે જીવણ કા. — મેં ગભરુ.

અર્થ : હું તો એ ગુરુનો ગભરુ ગરીબ શરણાગત છું કે જેણે બંકો ગગનનો ગઢ (મુક્તિનો કિલ્લો) જીતી લીધો છે. પાંચ તત્ત્વો (પૃથ્વી, આકાશ, વાયુ, તેજ, અગ્નિ)નો બનેલો આ દેહ એ તો પાંચ તારના તંબૂરા સમાન છે. આ તંબૂરાના એ તારોને મિલાવવા ત્રણ ગુણરૂપી ત્રણ ખૂંટા લગાવેલ છે. ગુરુગમનથી ગગનનું દર્શન થાય તો તનના તાપ બુઝાઈ જાય, આ દેહમાં નાદ અને બુંદની નોબત વાગે છે ત્યારે ઘનનન એવા ઘનુકાર ઘોરી ઊઠે છે. (આ નાદ અને બુંદ, આ ઘનુકાર, ઘેરી ઘેરી મોરલી, ઉનમુન જોગી, મનપવન, બીજકા ચમકા, તેજ તખત, એ બધા યોગની પરિભાષાના શબ્દો છે, અને બ્રહ્માનંદના અનુભવને નોખનોખી રીતે વ્યક્ત કરે છે.)