અંતિમ કાવ્યો/હણી નહિ શકો
Jump to navigation
Jump to search
તમે મારા અસ્તિત્વને હણી નહિ શકો,
ભૂતકાળને ભૂલી તમે સ્વપ્નોની જાળ વણી નહિ શકો.
કાળની ચિરગતિમાં આજની કાલ થતી હોય છે,
સ્મરણોની સ્થિતિમાંથી કાલ ક્યારેય જતી હોય છે ?
મને, તમારા ભૂતકાળને તમે અવગણી નહિ શકો.
આજ પછી તમે જે કૈં મનમાન્યાં ગીત ગાયાં હશે,
તેની પરે આજ લગી જે કૈં કર્યું તેની છાયા હશે,
વિસ્મૃતિ ને વંચનાના પાયા પર કશું ચણી નહિ શકો.
મે, ૨૦૧૬