આચમની/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય

૧૯૯૫-૯૬નાં વર્ષો દરમિયાન, મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી વર્તમાનપત્ર ‘મિડ-ડે’માં શ્રી મકરન્દ દવેના વિચાર-પ્રેરક લેખ દરરોજ છપાતા. તેમાંના મોટા ભાગના લેખ આ અગાઉ આભલાં પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. બાકી રહેલા લેખ આજે આચમની સ્વરૂપે વાચકો પાસે મૂક્તાં આનંદ અનુભવીએ છીએ. ‘આભલાં’ના ચમકારાની જેમ જ ‘આચમની’ની અંજલિઓ પણ વાચકો માટે એવી જ તૃપ્તિદાયક નીવડશે એવી આશા છે.