પુનશ્ચ/જેને ‘મારું’ કહી શકું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જેને ‘મારું’ કહી શકું


મને થાય ક્યાંક કોઈ એવું હોય જેને ‘મારું’ કહી શકું,
જેને મારા મનમાં જે હોય – નરસું કે સારું – કહી શકું.

ભલેને એનામાં મારા જેવી અધૂરપો હોય,
પણ સાથે સાથે થોડીઘણી મધુરપો હોય;
જેને અન્યથી ઊંચું કે નીચું નહિ, પણ ન્યારું કહી શકું.

જે મારા એકાન્તની એકલતાને સહી શકે,
હું જેવી છું તેવી ગાંડીઘેલી મને ગ્રહી શકે;
એ માનવી હોય પણ એને પ્રભુથી યે પ્યારું કહી શકું.

૨૦૦૭