મારી હકીકત/૧૯ ગોપાળજી ગુલાબભાઈને
Jump to navigation
Jump to search
૧૯ ગોપાળજી ગુલાબભાઈને
તા. ૩૯0-૧-૭0
રા. શ્રી ગોપાળજી ગુલાબભાઈ,
કથાકોષની ચોપડી મોકલી તે પહોંચી હશે. એની સો નકલ ઉપર ખરીદ કરશો તો સવા ત્રણને ભાવે આપીશ. હું આશા રાખું છઉં કે ૨00 નકલ ખરીદ કરશો.
પેલી રકમ જેમ બને તેમ તાકીદે મોકલવાનું સ્મરણ કરાવું છઉં. મુંબઈની હૂંડી મોકલશો તો ચિંતા નથી.
તમારી તરફના ઘણા દિવસ થયા જાણ્યામાં આવ્યા નથી માટે લખશો. છેલ્લી મુલાકાત બહુ સાંભરે છે.
લી. નર્મદાશંકરના આશીર્વાદ