સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/છેતર્યાં!

From Ekatra Foundation
Jump to navigation Jump to search

જેણે હસીને લોભાવી કીધી વાતડી,
સૂતાં જગાડ્યાં વેણુના દઈને સાદ,
એણે રે અમને છેતર્યાં!

આશા દઈને છોડાવ્યાં ઘર ને ઘાટને,
વગડે રઝળાવ્યાં અંતરિયાળ–
એકાન્તે એણે છેતર્યાં!

તાળી હસીને આપી હસતાં વહી ગયા,
એણે જાણ્યો ના ભોળીનો ઉન્માદ–
ગોવિન્દે અમને છેતર્યાં!

તરસી જોવાને રઘવાઈ મૂંગી ગાવડી,
જેનાં રૂંવાડાં તલખે વેણુનાદ,
એને યે હરિએ છેતર્યાં!

વગડો વાગોળે છે દિ ને રાત વાંસળી,
ઊંડો અમ જેવો વેઠે વિષાદ-
નથી રે કોને છેતર્યાં!

બાઈ, અમે રડીએ સહ્યું ના જાયે એટલે,
નથી આ કો’ને યે કંઈ રાવ ફરિયાદ-
પ્રભુએ જ્યારે છેતર્યાં!

[‘મનડામાં મોતી બંધાણું’ પુસ્તક : ૨૦૦૫]
}}