અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતિન વડગામા/વિચારણામાં

Revision as of 07:57, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિચારણામાં| નીતિન વડગામા}} <poem> કોઈ આવીને ઊભું છે આંગણામાં,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિચારણામાં

નીતિન વડગામા

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તોય એ ઊગ્યા કરે સંભારણાંમાં.

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.
(ગુજરાતી કવિતાચયન, ૧૯૯૭, પૃ. ૪૯)