મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૯

Revision as of 06:57, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


છપ્પા ૩૯

અખાજી

જે સુણે નર - નાર, સાર વસ્તુ સ્વે થાશે;
બ્રહ્મ-હેમાળો જેહ, દેહ ગળી જળમાં જાશે.
જ્યમ પવને જાય બરાસ, આયાસ કીધા વિણ ઊડે.
ત્યમ એ બ્રહ્મવિચાર, સાર પામે સત્ય ગૂડે.
જે જાણ્યો તે જાણજો, બુધ્યમાને એ ઉચ્ચર્યું.
નિમિત્ત માત્ર અખો કહ્યો, પણ તે જાણે જેણે કર્યું.