સોરઠી સંતવાણી/ઠાલવવાનું ઠેકાણું

Revision as of 11:12, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઠાલવવાનું ઠેકાણું|}} <poem> પી લેવો હોય તો રસ પી લેજો, પાનબાઈ! પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઠાલવવાનું ઠેકાણું

પી લેવો હોય તો રસ પી લેજો, પાનબાઈ!
પિયાલો આવ્યો છે તતકાળ;
વખત ગયા પછી પસ્તાવો થાશે, પાનબાઈ!
અચાનક ખાશે તમને કાળ —
ભાઈ રે! જાણવી હોય તો વસ્તુ જાણી લેજો, પાનબાઈ!
નીકર જમીનમાં વસ્તુ જાશે;
નખશિખ ગુરુજીએ હૃદયમાં ભરી તો આ
ઠાલવવાનું ઠેકાણું કે’વાશે. — પી લેવો.
ભાઈ રે! આપ રે મુવા વિના અંત નહીં આવે, પાનબાઈ!
ગુરુગમ વિના ગોથાં મરને ખાવે;
ખોળામાં બેસારી તમને વસ્તુ આપું જેથી
આપાપાણું ગળી તરત જાવે. — પી લેવો.
ભાઈ રે! આ વખત આવ્યો છે મારે ચેતવાનો, પાનબાઈ!
માન મેલીને થાવને હુશિયાર;
ગંગા સતી એમ બોલિયાં રે,
હવે તમે હેતનાં બાંધો હથિયાર, — પી લેવો.