કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૨૧. પાંખો કાપવી’તી તો...રે... (તીરથનાં ત્રણ ગીતોમાંથી)
પાંખો કાપવી’તી તો... રે...
મોરલાને જનમ કેમ આપ્યો?
હે ! પડઘો ન પાડવો તો... રે...
અંતર સાદ કાં આલાપ્યો?
— જનમ કેમ આપ્યો !
સામી મોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી?
— સાદ કાં આલાપ્યો?
પાંખી કાપવી’તી તો...રે...
મોરલાને જનમ કેમ આપ્યો?
(કોડિયાં, પૃ. ૧૦૬-૧૦૭)