હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૨

Revision as of 02:51, 26 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પર્જન્યસૂક્ત : ૨

અહીં તો
પ્રિય અને પર્જન્ય,
નથી કો અન્ય–
કેવળ
હું
તે
ઝળહળ જળમાં અંતર્ધાન :
(રખે ને આજ કવિતા લખે)
મૌનમાં
શબ્દ સકળ તે મ્યાન!