કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/એકલતા

Revision as of 15:29, 1 June 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૩. એકલતા

સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કો’ક રહીને અડકે ચરણ જતાં.
ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
કરે સ્પર્શ અંધાર શ્વાસને,
સ્મરું આજ જળના ઉજાસને,
કો’ક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
૧૯૬૫

(તમસા, પૃ. ૧૦૦)