પન્ના નાયકની કવિતા/પરિણામે

Revision as of 03:00, 23 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૮. પરિણામે

પહેલાંની જેમ
હવે
મને
કશું વાગતું નથી
ત્વચા ઉઝરડાતી નથી
લોહી ટપકતું નથી.
કોરી ખાતી વેદનાની ચીસ પડતી નથી
ને
આંખમાં ઝળઝળિયાં આવતાં નથી.
જગત સાથે કરેલા
આ સમાધાનને પરિણામે
કૂખમાંથી નથી જન્મતાં
ચિત્કાર કરતાં કાવ્યો...!