અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/શ્લોક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શ્લોક

મહાદેવભાઈનો વિચાર કરતાં મને હમેશાં આ શ્લોક સાંભરે છે:
वदनं प्रसादसदनम् सदयं हृदयं सुधामुचोवाचः करणं परोपकरणम् येपां केपां न ते वंद्यः?
— વિનોબા
સદાય હસતું મુખડું સદય હૃદય છે સુધાભરી વાચા પરોપકારી કાર્યો જેનાં તેને કોણ નહીં વંદે?
— વિનોબા
માત્ર પિતાના શરીરનો અંશ મળવાથી જ પુત્ર પુત્ર નથી બનતો. એ પુત્ર તો ત્યારે બને છે જ્યારે શરીર સાથે પિતાના સદ્વિચારોને પૂરેપૂરા ગ્રહણ કરે. શરીરનો અંશ ન મળે અને જો સદ્વિચાર જ ગ્રહણ થાય તોપણ તેને પુત્રની યોગ્યતા પ્રાપ્ત થાય છે. મહાદેવભાઈ બાપુના એ જ અર્થમાં પુત્ર હતા.
લક્ષ્મણ વિના રામનું કામ થાત જ નહીં. એ સમજીને જ રામ લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા હતા. તુલસીદાસે લખ્યું છે: ‘રામના યશના ઝંડા સારુ લક્ષ્મણ દંડ સમાન બન્યા.’ મહાદેવભાઈની એવી યોગ્યતા હતી એમ કહી શકાય.
— વિનોબા